સત્ય વિચાર દૈનિક

દિલ્હી CM અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, કોર્ટે 28 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દીધા

દિલ્હી CM અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો, કોર્ટે 28 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દીધા

દિલ્હી શરાબ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ કેસમાં દિલ્હીની રાઉસ એવન્યૂ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. તેનો અર્થ એવો થાય છે કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની હોળી આ વખતે ઈડીના રિમાન્ડ રુમમાં મનાવશે. કોર્ટે સીએમને 6 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. આપને જણાવી દઈએ કે, ઈડીએ 10 દિવસની રિમાન્ડ માગી હતી. તો વળી સીએમ તરફથી હાજર થયેલા 3 વકીલ અભિષેક મનુ સિંઘવી, વિક્રમ ચૌધરી અને રમેશ ગુપ્તાએ કસ્ટડીનો વિરોધ કર્યો હતો.

દિલ્હી શરાબ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ કેસમાં દિલ્હીની રાઉસ એવન્યૂ કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા છે.

ચૂંટણી પંચ પાસે પહોંચ્યું વિપક્ષ

આ બાજુ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ઈંડિયા બ્લોકના નેતા ચૂંટણી પંચની પાસે પહોંચ્યા છે. કહેવાય છે કે, તેમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ટીએમસી, સીપીઆઈ, ડીએમકે, સમાજવાદી પાર્ટી, એનસીપીના નેતા સામેલ છે. આ દરમ્યાન કેસી વેણુગોપાલ, ડો. અભિષેક મનુ સિંઘવી, ડેરેક ઓ બ્રાયન, મોહમ્મદ નદીમુલ હક, સીતારામ યેચૂરી, સંદીપ પાઠક, પંકજ ગુપ્તા, જિતેન્દ્ર અવ્હાડ, પી વિલ્સન, જાવેદ અલી સામેલ છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!