સત્ય વિચાર દૈનિક

નર્મદાના રીંગણના ભાવ ગગાડતા ખેડૂતોને રીંગણાં રસ્તા પર ફેંકવાનો આવ્યો

નર્મદાના રીંગણના ભાવ ગગાડતા ખેડૂતોને રીંગણાં રસ્તા પર ફેંકવાનો આવ્યો
  • રીંગણનો ભાવ 15 દિવસ પહેલા 200 રૂપિયે મણ હતો તે ઘટીને 40રૂપિયા થઇ જતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે

    રીંગણના ઉત્પાદનની સામે બજારમાં માગ ઘટી જતાં ભાવો તળિયે આવીજતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો

    રાજયના બજારોમાં રીંગણના ભાવ ગગડી જતાં ખેડૂતો તેમનો પાક રસ્તા ફેંકી દેવા મજબૂર બન્યાં છે. તેમાંથી નર્મદા જિલ્લાનાખેડૂતો પણ બાકાત રહયાં નથી.રીંગણના ભાવ મણના રૂ.400 થી સીધા 40 થઇ જતા ખેડૂતોએ રીંગનો ઉભો પાક  રસ્તા પર ફેંકી દીધો હતો.

    રાજપીપળા સહિત આજુબાજુના ગામડાઓમાં 110 એકર વિસ્તારમા રીંગણાનું વાવેતરખેડૂતોએ કર્યું છે. એક એકરમાંથી રોજના 100 મણ જેટલા રીંગણનું ઉત્પાદન થાય છે તેથી જિલ્લામાંથી2.20 લાખ કિલો રીંગણ રોજના તૈયાર થાય છે. રીંગણના ઉત્પાદનની સામે બજારમાં માગ ઘટી જતાં ભાવો તળિયે આવી ગયાં છે. અગાઉ રીંગણ 200 થી400 રૂપિયે મણના ભાવે વેચાતા હતાં. તેથી બજારમાં રીંગણની ભરપૂર આવક થઇ હતી. પણ લગ્નસીઝન અને શુભ પ્રસંગો પરહોળાષ્ટકના લીધે બ્રેક લાગી જતાં માગ ઘટી હતી. જે રીંગણનો ભાવ 15 દિવસ પહેલા 200 રૂપિયે મણ હતો તે ઘટીને 40 રૂપિયા થઇ જતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે. ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોનો મજૂરીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ છે.

    કાછીયાવાડમાં રાજપીપળાના રહેતાં રાકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ બજારમાં રીંગણનો ભરાવો વધી ગયોગામે ગામથી રીંગણા બજારોમાં ઠલવાઈ રહ્યા છે.નર્મદા જિલ્લામાં કોઈ મોટું માર્કેટ નથી એટલે અમારે સુરત કે મુંબઈ સુધી રીંગણ વેચવા માટે જવું પડતુંહોય છે. 20 કીલોની રીંગણનીથેલીને સુરતના બજારમાં લઇ જવા માટે 50 રૂપિયાનો ખર્ચ થાયછે. રોજની 90 થેલી લઇ જઇએતો 4,500 રૂપિયા ટેમ્પાનું ભાડુ થઇ જાય. અને તેની સામે 40 રૂા.ના ભાવ લેખે અમને વેચાણના 3,600 રૂપિયા જ મળતાં હોય છે. આમ ટેમ્પાનુંભાડુ પણ નીકળી શકે તેમ નથી.હાલ અમે અમારા ખેતરોમાં તૈયાર થયેલાં રીંગણને રોડ પર નાખી રહયાં છે જેથી પશુઓ તેને ન ખાઇ શકે.કારણકે રીંગણાં ગરમ હોય છે એટલે ઢોર પણ ખાતા નથી.

    હવે ખેડૂતોને કેવી રીતે ખોટ જાય છે …

    નર્મદા જિલ્લામાં 110 એકર જમીનમાં રીંગણનું વાવેતર કરાયું છે. એક એકરમાં રોજના 100 મણ એટલે કે 2,000 કીલો રીંગણ નીકળતાં હોય છે.110 એકરના ગણવામાં આવે તો ક્લ 2.20 લાખ કીલો રીંગણ જિલ્લામાંથી ઉત્પાદિત થાય છે. જો આ તમામ રીંગણ બજારમાં 40 રૂપિયા મણના ભાવે વેચાઇ તો ખેડૂતોને 44 લાખ રૂપિયાની આવક થાય છે. તેની સામે રીંગણના ઉત્પાદન અને વહનની વાત કરવામાં આવે તો આ રીંગણ પાછળ ખેડૂતોનો ખર્ચ 55 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. આમ નર્મદા જિલ્લાનાખેડૂતોને રોજની 11લાખ રૂપિયાની ખોટ સહન કરવી પડી શકે છે.એટલે હાલ તો ખેડૂતોની દશા બેઠી છે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

    તસવીર :દીપક જગતાપ, રાજપીપલા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!