સત્ય વિચાર દૈનિક

સત્ય વિચાર ની અક્ષરશઃ આગાહી સાચી ઠરી

કપડવંજ નગરપાલિકામાં 4  ભાજપના અને એક અપક્ષ સભ્ય મળી કુલ પાંચ ઉમેદવારો બિનહરીફ

સત્ય વિચાર ની અક્ષરશઃ આગાહી સાચી ઠરી<br><br> કપડવંજ નગરપાલિકામાં 4  ભાજપના અને એક અપક્ષ સભ્ય મળી કુલ પાંચ ઉમેદવારો બિનહરીફ

અહેવાલ – હરીશ જોશી   કપડવંજ

વોર્ડ નં. ૩ માં ઇતિહાસ રચાયો: ભાજપમાંથી ત્રણ સભ્યો બિનહરીફ, વોર્ડ નં. ૭ માં ભાજપના એક અને વોર્ડ નં. ૨ માં અપક્ષનો વિજય


કપડવંજ નગરપાલિકાની ચૂંટણીના જંગમાં મતદાન પહેલા જ મોટો ઉલટફેર જોવા મળ્યો છે
*સત્ય વિચાર દૈનિક* દ્વારા અગાઉ જે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ ચૂંટણીમાં પાંચ ઉમેદવારો બિનહરીફ જાહેર થશે, તે અક્ષરશઃ સાચું ઠર્યું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થતા જ કપડવંજ નગરમાં પ્રથમ વખત અનોખો રાજકીય ઇતિહાસ રચાયો છે.


વોર્ડ નંબર ૩: ભાજપનો દબદબો

કપડવંજ નગરપાલિકાના ઈતિહાસમાં કદાચ આ પ્રથમ કિસ્સો છે જેમાં વોર્ડ નંબર ૩ માં ભાજપના ત્રણ સભ્યો  બિનહરીફ જાહેર થયા  છે. વિરોધ પક્ષોના ફોર્મ પરત ખેંચાતા અથવા ગેરલાયક ઠરતા ભાજપના ત્રણેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે:
કોમલ ધવલભાઈ પટેલ (ભાજપ)
સેજલબેન અરવિંદભાઈ પટેલ (ભાજપ)
સુરેશભાઈ ઠાકોર (ભાજપ)

વોર્ડ નં. ૭ અને વોર્ડ નં. ૨ માં પણ બિનહરીફનો સિલસિલો

વોર્ડ નંબર ૭ માં પણ ભાજપનો દબદબો જળવાઈ રહ્યો છે, જ્યાં ઉત્કર્ષ પટેલ  બિનહરીફ થતા ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે. બીજી તરફ, વોર્ડ નંબર ૨ માં રાજકીય સમીકરણો બદલાયા છે અને અહીં અપક્ષ ઉમેદવાર વહીદા મોહસીન શેખ બિનહરીફ જાહેર થયા હોવાની વિગતો સામે આવી છે.

*

સત્ય વિચારનો સચોટ અંદાજ

રાજકીય વિશ્લેષકો જ્યારે મથામણ કરી રહ્યા હતા, ત્યારે **’સત્ય વિચાર’** એ જનતા સામે સ્પષ્ટ કર્યું હતું કે પાંચ બેઠકો પર બિનહરીફની સ્થિતિ સર્જાશે. આજે આ આગાહી સત્ય સાબિત થતા વાચકોમાં ‘સત્ય વિચાર’ની વિશ્વસનીયતા વધુ મજબૂત બની છે.
“અમે સત્તાવાર જાહેરાત પહેલા જ જનતાને આ સંકેત આપ્યો હતો, જે આજે પરિણામમાં પરિવર્તિત થયો છે.”**ટીમ સત્ય વિચાર
હવે નગરપાલિકાના બાકીના વોર્ડમાં જંગ જામશે, પરંતુ આ પાંચ બેઠકોએ ચૂંટણીના ગણિત અને પક્ષોના આત્મવિશ્વાસમાં મોટો ફેરફાર લાવી દીધો છે.

તા.૧૫/૪/૨૦૨૬ ના ન્યૂઝ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!